સુરત મહાનગર પાલિકાની કાર્યવાહી, શિક્ષણ સમિતિના સભ્યની ખાનગી શાળાનું ગેરકાયદે બાંધકામ સીલ

સુરત મહાનગર પાલિકાની કાર્યવાહી, શિક્ષણ સમિતિના સભ્યની ખાનગી શાળાનું ગેરકાયદે બાંધકામ સીલ

સુરત મહાનગર પાલિકાની કાર્યવાહી, શિક્ષણ સમિતિના સભ્યની ખાનગી શાળાનું ગેરકાયદે બાંધકામ સીલ

અપડેટ કરેલ: 25મી જૂન, 2024

સુરત મહાનગર પાલિકાની કાર્યવાહી, શિક્ષણ સમિતિના સભ્યની ખાનગી શાળાનું ગેરકાયદે બાંધકામ સીલ


સુરત મહાનગરપાલિકા: સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલ ગોડાદરા મધુસુદન રેસીડેન્સી સોસાયટીમાં અરિહંત એકેડમી નામની શાળા આવેલી છે. શાળામાં નર્સરીથી ધોરણ 12 સુધીના અંગ્રેજી અને હિન્દી માધ્યમના વર્ગો ચાલે છે. જેમાં 1500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે શાળાના મુખ્ય ટ્રસ્ટી અનુરાગ કોઠારી છે, જે શિક્ષણ સમિતિના સરકાર દ્વારા નિયુક્ત સભ્ય છે. આ શાળામાં ગેરકાયદે બાંધકામ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના કારણે આજે (25મી જૂન) મહાનગર પાલિકાએ શાળાના ગેરકાયદે બાંધકામને સીલ મારી દીધું છે. હવે વિપક્ષે શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીને તાત્કાલિક અસરથી પદ પરથી ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે.

સુરત મહાનગર પાલિકા

શિક્ષણ સમિતિના ભાજપના સભ્યની ખાનગી શાળામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. બે ડિમોલિશન બાદ બાંધકામ નહીં કરવાની બાંહેધરી છતાં ફરીથી ગેરકાયદે બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ ફરિયાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કરી હતી. રાજકોટની દુર્ઘટના બાદ સુરત પાલિકાના અધિકારીઓ કોઈ જોખમ લેવા માંગતા ન હતા અને આજે પાલિકાએ શાળાના ગેરકાયદે બાંધકામને સીલ મારી દીધું છે.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ માંગણી કરી છે કે ‘રાજકીય સત્તાના દુરુપયોગ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના સભ્ય અનુરાગ કોઠારીની સીધી સંડોવણી છે. જેના કારણે સામાન્ય જનતા તેમજ સમિતિમાં અભ્યાસ કરતા લાખો ગરીબ શ્રમિક વર્ગના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં સરકારની છબી ખરડાઈ રહી છે. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરનાર અનુરાગ કોઠારીને તાત્કાલિક અસરથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પદેથી દૂર કરવામાં આવે.’

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]