AMCનો ઉતાવળિયો નિર્ણય લોકોને પડશે ભારે, શાહીબાગ અંડરપાસ ત્રીજી વખત 6 દિવસ માટે બંધ રહેશે અમદાવાદનો શાહીબાગ અંડરપાસ એક મહિનામાં ત્રીજી વખત બુલેટ ટ્રેનના કામ માટે ફરી બંધ

અમદાવાદ સમાચાર: બુલેટ ટ્રેનની કામગીરીને કારણે અમદાવાદનો શાહીબાગ અંડરપાસ શુક્રવાર (30 જાન્યુઆરી)થી ફરી છ દિવસ માટે રાત્રિના વાહનવ્યવહાર માટે બંધ રહેશે. અગાઉ બુલેટ ટ્રેનના કામ માટે 23 થી 28 જાન્યુઆરી સુધી પણ બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ નિર્ધારિત સમય કરતાં સોળ કલાક પહેલા રૂટ શરૂ કરી દેતાં કામ સમયસર થયું હોવાનો દાવો કર્યો હતો. બે દિવસ પણ નથી થયા, તેને એક નવું કામ યાદ આવ્યું. નોંધનીય છે કે એક મહિનામાં ત્રીજી વખત અંડરપાસ બંધ કરવામાં આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફ્લાવર શો ફ્લોપઃ 17 કરોડ ખર્ચવા છતાં 2 લાખ મુલાકાતીઓ ઘટ્યા!

બુલેટ ટ્રેનની કામગીરીના કારણે શાહીબાગ અંડરપાસ ફરી બંધ

પ્રાપ્ત માહિતી અનુસાર, થાંભલાનું લેવલિંગ અને ટેક્નિકલ કામ પૂર્ણ થયા બાદ અંડરપાસ 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી વાહનોની અવરજવર માટે બંધ રહેશે. સુભાષબ્રિજ પહેલેથી જ બંધ હોવાથી આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. અંડરપાસ વારંવાર બંધ થવાના કારણે દિલ્હી દરવાજા, દડચી બ્રિજ, ગાંધીબ્રિજ સહિતના માર્ગો પર વાહનોનો ધસારો વધી જાય છે. હાલમાં દિલ્હી દરવાજા અને સુભાષ બ્રિજ તરફનો ટ્રાફિક શિલાલેખ એપાર્ટમેન્ટથી રિવરફ્રન્ટ થઈ એરપોર્ટ-ગાંધીનગર તરફ જઈ શકશે. તેમજ ગિરધરનગર-અસારવાથી એરપોર્ટ-ગાંધીનગર જવા માટે ગાયત્રી મંદિરથી આર્મી કેન્ટોનમેન્ટ સુધીનો વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. અંડરપાસમાં ટ્રાફિકના સમયપત્રકમાં વારંવાર ફેરફાર થતાં વાહનચાલકો મુંઝવણમાં મુકાયા છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version