મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારમાં આવેલા વાડીગામના સ્થાનિક રહેવાસીઓ સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
જેમ આકાશમાં પતંગ ઉડે છે તેમ ગુજરાત પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરે. મુખ્યમંત્રીએ વાડીગામના મૂળજી પારેખ ચોક ખાતે પતંગ ઉડાડી ઉત્સવનો આનંદ માણ્યો હતો. સ્થાનિક લોકો ખાસ કરીને મુખ્યમંત્રીને તેમની વચ્ચે જોઈને ઉત્સાહિત હતા.
પોળના રહેવાસીઓએ તેમના ધાબા પરથી મુખ્યમંત્રીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું. મુખ્યમંત્રીએ અભિવાદન સ્વીકારી સૌને ઉત્સાહિત કર્યા હતા. આ મહોત્સવમાં અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, સ્થાનિક કાઉન્સિલરો અને રાજકીય આગેવાનો મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
150 વર્ષમાં પહેલીવાર સ્પેન પર રાજ કરશે રાણી, જાણો કોણ છે 20 વર્ષની પ્રિન્સેસ લિયોનોર
મુખ્યમંત્રી સાથે પતંગ ઉડાડવાની તકે આ મકરસંક્રાંતિની ઉજવણી ઉપસ્થિત લોકો અને પતંગ પ્રેમીઓ માટે યાદગાર બનાવી દીધી હતી.