ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ, આગામી પાંચ દિવસ મેઘ મહેરની આગાહી


ગુજરાતમાં ભારે વરસાદઃ ગુજરાતના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. રાજ્યના 73 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 3.46 ઈંચ વરસાદ મોડાસામાં નોંધાયો છે. જ્યારે નવસારીમાં 2.48 ઈંચ, સંખેડામાં 1.85 ઈંચ, ગારીયાધાર અને શિનોરમાં 1.81 ઈંચ, વાલોડમાં 1.49 ઈંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24મી ઓગસ્ટે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા લહેરાશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહિસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરોઃ ગુજરાત હાઈકોર્ટ

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં 25 ઓગસ્ટે ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

26 થી 28 ઓગસ્ટની આગાહી

26મી ઓગસ્ટે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સિવાયના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા બોલશે. ભારે વરસાદને કારણે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સતત ચાર દિવસના ભારે વરસાદ બાદ મેઘરાજા મહેરબાન થશે. 27મી ઓગસ્ટે કચ્છ, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, ખેડા, વડોદરા, ભરૂચ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 27 અને 28 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. જેમાં 28મી ઓગસ્ટે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, અમદાવાદ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version