VIDEO: સુરતમાં ત્રણ માળની બિલ્ડીંગમાં સીડી ધરાશાયી થતાં 19 લોકોના જીવ બચ્યા. સુરતમાં ત્રણ માળની બિલ્ડીંગમાં સીડી તૂટી પડતા 19 લોકોનો માંડ બચાવ થયો હતો

સુરત સમાચાર: સુરતના પાલનપુર જકાતનાકા પાસે ગ્રાઉન્ડ પ્લસ 3 માળની બિલ્ડીંગમાં સીડી ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમે 19 લોકોને બચાવીને તેમના જીવ બચાવ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

આ પણ વાંચોઃ સુરતના ઉમરા-વેલંજા રોડ પર ભીષણ આગ, ભંગારના ગોડાઉન, ટાયરની દુકાન બળીને ખાખ

મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર જકાતનાકા પાસે સરસ્વતી પાર્ક ટાઉનશીપ ખાતે 3 માળની ઇમારતનો દાદર ધરાશાયી થતાં નાસભાગ મચી ગઇ હતી. અકસ્માતની જાણ થતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version