Pahalgam attack : ભારત-પાકિસ્તાન LOC ન્યૂઝ પહેલગામ આતંકવાદી હુમલો 10 એપ્રિલના રોજ પૂંછમાં LoC પર બ્રિગેડ કમાન્ડર ફ્લેગ મીટિંગ – ચાલુ વર્ષ દરમિયાન બીજી – થયાના બે અઠવાડિયા પછી જ આ ગોળીબાર થયો છે.

Pahalgam attack : પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે ગુરુવારે રાત્રે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર વિવિધ સ્થળોએ કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો, એમ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું.
“પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા પર કેટલાક સ્થળોએ નાના હથિયારોથી ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો,” એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય પક્ષે પાકિસ્તાની ગોળીબારનો “અસરકારક રીતે જવાબ” આપ્યો હતો.
Pahalgam attack : ૧૦ એપ્રિલના રોજ પૂંછમાં નિયંત્રણ રેખા પર બ્રિગેડ કમાન્ડર ફ્લેગ મીટિંગ – ચાલુ વર્ષ દરમિયાન બીજી – થયાના બે અઠવાડિયા પછી જ આ ગોળીબાર થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર તાજેતરના ઘૂસણખોરીના પ્રયાસો, યુદ્ધવિરામ ઉલ્લંઘન અને IED વિસ્ફોટો સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી પહેલી બેઠકમાં, બંને પક્ષો નિયંત્રણ રેખાની પવિત્રતા જાળવવા અને 25 ફેબ્રુઆરી, 2021ના રોજ બંને પક્ષો વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર પર સંમત થયા હોવાના અહેવાલ છે.