સોમનાથમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણ હટાવતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો સોમનાથમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણ હટાવવામાં આવતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો

ડિમોલિશનને પગલે શંખ સર્કલ પાસે ઘર્ષણ ફાટી નીકળ્યું: પોલીસે લાટી ચાર્જ કર્યો અને 3 ટીયર ગેસના શેલ છોડ્યા, ટોળું વિખેરાયું: અન્ય રહેણાંક, કોમર્શિયલ દબાણો પણ હટાવ્યા

વેરાવળ, : સોમનાથના શંખ સર્કલ પાસે સવારથી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરકારી જગ્યામાં મકાનો, દુકાનો, ધાર્મિક દબાણો તોડી પાડ્યા બાદ ધાર્મિક દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે એકઠા થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પીઆઈ સહિત બે પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના 3 સેલ છોડ્યા હતા. ઘર્ષણની ઘટનાને પગલે સોમનાથમાં તંગદિલી પ્રસરી હતી.

સોમનાથ ખાતે શંખ સર્કલ પાસેની સરકારી જમીન પરના દબાણો દૂર કરવા વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. 100 જેટલા પોલીસ જવાનોના કડક બંદોબસ્ત વચ્ચે 9 મકાનો અને બે દુકાનો મળી આવી હતી અને દબાણ હેઠળ બુલડોઝર ફેરવીને સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.

જે બાદ સાંજના સમયે શંખ સર્કલ પાસે સરકારી જમીન પરના ધાર્મિક દબાણો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે એકઠા થયેલા ટોળાએ રોષે ભરાઈને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પીઆઈ એમ.વી.પટેલ અને હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પરમારને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.

દરમિયાન, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના 3 શેલ છોડ્યા. અને ટોળું વિખેરાઈ ગયું હતું. તમામ લોકો વિખેરાઈ જતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. જોકે, ઘટનાને પગલે સોમનાથમાં તંગદિલી પ્રસરી હતી. ઘટનાને પગલે તંત્રએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. એસપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હવે સ્થિતિ કાબુમાં છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version