અમદાવાદ, 6 જુલાઈ, 2026 : સોમવારે બપોર સુધીમાં ગુજરાતના 27 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા છે. સોમવારે બપોર સુધીમાં 57 તાલુકામાં વરસાદ થયો હતો. જ્યારે આજે સવારે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ, ધારીમાં 9 ઈંચ અને ખાંભામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. મેઘરાજાની સવારી મોડી આવી છે પરંતુ આવતાની સાથે જ શોટ બોલાવી રહ્યા છે. આજે બપોર સુધીમાં 57 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, સિઝનલ ટ્રફ, એશ્યોર ટ્રફ, શીયર ઝોન સહિત કુલ 5 સિસ્ટમ સક્રિય રહેતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે. રાજ્યમાં પોર્ટ પર 3 સિગ્નલ નંબર લગાવવામાં આવ્યા છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાદરા, દાદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે 06 જુલાઈ, 2026ના રોજ સવારે 6.00 વાગ્યા સુધી રાજ્યમાં 6 ઈંચથી વધુ એટલે કે સિઝનના સરેરાશ 17 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં,
* સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનમાં સૌથી વધુ 23 ટકા
* દક્ષિણ ગુજરાત ઝોનમાં 20 ટકાથી વધુ
* પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 12 ટકાથી વધુ
* ઉત્તર ગુજરાત ઝોનમાં 10 ટકાથી વધુ અને
કચ્છ ઝોનમાં માત્ર 0.42 ટકા વરસાદ પડ્યો છે.
રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો ઉપરવાસમાંથી પાણીની વિપુલ આવકને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2.15 લાખ MCFT એટલે કે અંદાજે 65 ટકા પાણીનો સંગ્રહ છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2.09 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના 02 ડેમ સંપૂર્ણ 100% ભરેલા છે, 18 ડેમ 70% થી વધુ ભરેલા છે, 20 ડેમ 50% થી વધુ ભરેલા છે, 49 ડેમ 25% થી વધુ ભરેલા છે અને 117 ડેમ 25% થી ઓછા ભરેલા છે. વર્તમાન જળસપાટીને ધ્યાનમાં લેતાં 06 ડેમને ‘હાઈ એલર્ટ’ પર, 07 ડેમને ‘એલર્ટ’ પર અને 07 ડેમને ‘ચેતવણી સ્તર’ પર રાખવામાં આવ્યા છે.
બીજી તરફ ઉના-અમરેલી પંથકમાં ભારે વરસાદથી પીજીવીસીએલ સર્કલ ડિવિઝનમાં ભારે નુકસાન થયું છે. તોફાની પવન અને વરસાદના કારણે અમરેલીમાં 222 વીજ થાંભલા અને 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા હતા, જેના કારણે ઉના, સાવરકુંડલા અને જાફરાબાદ સહિત તાલુકાના 55 જેટલા ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણ પણે બંધ થઈ ગયો હતો. અંધારપટ પ્રસરી જતાં પીજીવીસીએલ વિભાગની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.