સુરેન્દ્રનગર ડેન્ગ્યુના કેસો: રાજ્યમાં સારા ચોમાસા બાદ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 63થી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણ તાલુકાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
ત્રણ તાલુકાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરાયા છે
સુરેન્દ્રનગરમાં મચ્છરજન્ય રોગચાળાને લઈને જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુના 63 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં આરોગ્ય વિભાગે વડવાણ, થાન અને ચોટીલાને ડેન્ગ્યુગ્રસ્ત તાલુકા જાહેર કર્યા છે.
આ પણ વાંચો: BREAKING: રાજ્ય સરકારની મોટી જાહેરાત, 2005 પહેલાના કર્મચારીઓને OPS લાભ મળશે
આરોગ્ય વિભાગ દોડી ગયો હતો
જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વધી રહેલા ડેન્ગ્યુના કેસના પગલે તંત્ર હરકતમાં આવ્યું હોવાથી જિલ્લામાં આરોગ્ય વિભાગની 131 ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા ફોગીંગ કરવામાં આવ્યું હતું.