સુરત સમાચાર: સુરતના માંગરોલ તાલુકાના આકલોદ ગીજરામ ગામની આજુબાજુમાં આવેલા 20 થી વધુ વીજ થાંભલાઓ પરથી વીજ વાયરો ચોરાઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. સિંચાઈ સમયે સીમ વિસ્તારોમાં વીજ થાંભલા પડી જવાથી વીજ પુરવઠો બંધ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખેડૂતોએ વીજ કંપનીને ફરિયાદ કરી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
20 વીજ પોલમાંથી વીજ વાયરની ચોરી
મળતી માહિતી મુજબ માંગરોળ તાલુકાના આકલોદ ગીજરામ ગામની સીમમાંથી તસ્કરો દ્વારા વીસથી વધુ વીજ વાયરો કાપીને ચોરી કરવામાં આવી છે. વીજકાપના કારણે પાકને પાણી આપવા માટે વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ખેડૂતોની કાળી મજૂરી પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ. 600 ઓછા!
ખેડૂતોનું કહેવું છે કે વીજ થાંભલા પરથી વાયરો કાપવાની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસ પહેલા લવેટ મોતી પલ્લી રોડ પરથી પણ વીજ વાયરની ચોરી થઈ હતી. વીજ વાયરની ચોરીની ઘટના અંગે વીજ કંપનીને જાણ કરવામાં આવી છે.