શેઢી કેનાલમાં સમારકામના કારણે આજે રામોલ, વસ્ત્રાલ અને દક્ષિણ વિસ્તારમાં પાણીની તંગી સર્જાશે

શેઢી કેનાલમાં સમારકામના કારણે આજે રામોલ, વસ્ત્રાલ અને દક્ષિણ વિસ્તારમાં પાણીની તંગી સર્જાશે

શેઢી કેનાલમાં સમારકામના કારણે આજે રામોલ, વસ્ત્રાલ અને દક્ષિણ વિસ્તારમાં પાણીની તંગી સર્જાશે

અમદાવાદ, 2 મે, શનિવાર, 2026

અમદાવાદના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને શેઢી કેનાલમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. શેઢી કેનાલમાં રીપેરીંગની કામગીરી હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કારણોસર શહેરના રામોલ-હાથીજણ ઉપરાંત દક્ષિણ ઝોનના રામોલ-હાથીજણ હેઠળના વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા અનુસાર પાણી આપવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા પાણીના સ્તરને સામાન્ય બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શેઢી કેનાલમાં ચાલી રહેલા સમારકામના કારણે કેનાલમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. જેના કારણે રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પૂરતું પાણી મળતું નથી. આ કારણે રવિવારે સવારે પૂર્વ ઝોનના બે વોર્ડ અને દક્ષિણ ઝોનના મોટાભાગના વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા અનુસાર પાણી આપવામાં આવશે. ઉનાળાની ગરમી વચ્ચે પાણીકાપના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]