વરસાદમાં સર્પદંશના બનાવો વધ્યા, નવી સિવિલમાં દોઢ મહિનામાં 40 કેસ

– શહેરમાં સર્પ કરડવા બદલ બે દિવસમાં ત્રણ લોકો સામે સિવિલમાં કેસ નોંધાયાઃ સિવિલમાં ડીન બંગલા પાસે અને અમરોલીમાં સાપના કોલ.

સુરતઃ

વરસાદના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સાપ કરડવાના બનાવો વધી રહ્યા છે. સુરત નવી સિવિલમાં છેલ્લા દોઢથી બે મહિનામાં સાપ કરડવાના કારણે સારવાર માટે આવેલા 40થી વધુ નાગરિકો સારવાર માટે પહોંચ્યા હતા. સુરત શહેરમાં બે દિવસમાં ત્રણ વ્યક્તિઓ સામે સર્પદંશ અંગે સિવિલમાં ગુનો નોંધાયો છે.

ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે ખાડાઓ કે નાળાઓમાં પાણી ભરાય ત્યારે સાપ બહાર આવે છે. અને ચોમાસામાં સાપ કરડવાની ઘટનાઓ વધી જાય છે. સિવિલમાં દોઢ મહિનામાં સર્પદંશના 40 કેસ નોંધાયા છે. કેટલાક દર્દીઓને દાખલ કરવા પડ્યા હતા. જોકે, દવા વિભાગમાં સમયસર સારવાર મળતા તમામ દર્દીઓ સાજા થયા હતા. સર્પદંશના કિસ્સામાં ઝેર સામે રક્ષણ આપવા માટે પોલીવેલેન્ટ એન્ટી-સ્નેક વેનોમ ઈન્જેક્શન આપવામાં આવે છે. જો સાપ કરડે તો જલદી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. દવા વિભાગના એક વરિષ્ઠ તબીબે કહ્યું કે યોગ્ય સારવાર કરાવવાથી જીવન બચાવી શકાય છે.

દરમિયાન જહાંગીરપુરા સહજાનંદ લકઝરી કન્સ્ટ્રકશન સાઈટ ખાતે રહેતી 17 વર્ષીય મનીષા સોનુભાઈ સિંગડ નામની યુવતી ઘરે સુતી હતી ત્યારે તેને સાપ કરડ્યો હતો. કામરેજમાં ગેપગલ કનેરિયા કંપની પાસે રહેતા 40 વર્ષીય સુનિલ બાબુ સરન મોડી રાત્રે ઘરની બહાર ન્હાવા જતા હતા ત્યારે તેમના પગમાં સાપે ડંખ માર્યો હતો. હજીરાના માતા ફળિયામાં સિક્યુરિટી કોલોનીમાં રહેતો 17 વર્ષીય રોબિન દિનેશ કેવટ 23મીએ સ્કેન કરાવવા ગયો ત્યારે તેને સાપ કરડ્યો હતો. ત્રણેયને નવી સિવિલમાં ખસેડાયા છે.

દરમિયાન આજે નવી સિવિલ કેમ્પસમાં ડીન બંગલા પાસે એક સાપ રખડતો જોવા મળતાં ફાયર બ્રિગેડને બોલાવી લાશ્કરોએ સાપને પકડીને નદી કિનારે છોડી દીધો હતો. સાપ નાનો અને બિનઝેરી હતો. અમરોલીના મનીષા ગરનાળા પાસે આજે સવારે લશ્કરે આ સાપને પકડીને સલામત સ્થળે છોડી દીધો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version