બરોડા ડેરીની ચૂંટણી : બરોડા ડેરીની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ આજે પૂરી થતી હોવાથી 13માંથી 9 બેઠકો બિનહરીફ થતાં વધુ એક ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
બરોડા ડેરીની આગામી 18મી માર્ચે યોજાનારી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે જ્યારે કરજણ બેઠક માટે ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
ભાજપના જયદીપસિંહ ચૌહાણ અને અન્ય એક ઉમેદવાર પ્રકાશ પટેલ સામે ફોર્મ ભરનાર વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, પૂર્વ ડેરી ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. તો કરજણના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. આ ઉપરાંત તિલકવાડા ઝોનના ડાયરેક્ટર જ્યોતિન્દ્રસિંહ પરમાર પણ બિનહરીફ થયા છે.
અત્યાર સુધીમાં 13માંથી 9 બેઠકો બિનહરીફ થઈ હતી અને બાકીની પાંચ બેઠકો પર ચૂંટણી લડાઈ છે. આ બેઠકો પર કેટલા લોકો ફોર્મ પરત ખેંચે છે તે પછી સાંજે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. આ મતવિસ્તારોમાં વડોદરા તાલુકો, ડભોઇ, ડેસર અને પાવીજેતપુરનો સમાવેશ થાય છે.