વડોદરાઃ વડોદરામાં આજે સવારે અનગઢ નજીક રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો. તપાસના અંતે વિસ્ફોટક પદાર્થ લગ્નમાં વપરાતા ફટાકડા હોવાનું બહાર આવતાં તંત્ર ચોંકી ઉઠ્યું હતું.
અણગઢ નવાપુરા રેલ્વેના માલસામાન ટ્રેક પર આજે સવારે આઠ વાગ્યે મુસ્તાકભાઈ નામનો કર્મચારી પેટ્રોલીંગમાં નીકળ્યો હતો ત્યારે તેણે ટ્રેક પાસે છ જેટલા ફટાકડા જોયા હતા અને તાત્કાલિક આરપીએફના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. રેલવે પોલીસ થોડી જ વારમાં આવી હતી અને વડોદરા શહેર પોલીસને પણ જાણ કરી હતી.
ડીસીપી, એસીપી અને નંદેસરી પીઆઈ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ટ્રેક પર પહોંચ્યા અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી.
