ભારતના વિજય માટે વડોદરામાં હવન: કોંગ્રેસના કાર્યકરોએ રણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં કરી પ્રાર્થના | ટીમ ઈન્ડિયાની જીત માટે વડોદરાના રણમુક્તેશ્વર મંદિરમાં કોંગ્રેસના કાર્યકરોએ ખાસ હવન કર્યો

અમદાવાદમાં યોજાનારી ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના અને હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભગવાનના આશીર્વાદ મેળવવા શહેરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા હવન કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના કાર્યકરોનું કહેવું છે કે હવન માત્ર એક વિધિ નથી, પરંતુ આસ્થા, વિશ્વાસ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે. ભગવાન ભારતીય ખેલાડીઓને સકારાત્મક ઉર્જા અને શક્તિ આપે જેથી ટીમ ફાઈનલ મેચ જીતીને ટ્રોફી પોતાના નામે કરી શકે.

કાર્યકર્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ટીમે સમગ્ર શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું છે અને મોટાભાગની મેચોમાં પ્રભુત્વ જમાવ્યું છે. જોકે તાજેતરમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી ખેલાડીઓને આત્મવિશ્વાસ અને શક્તિ આપવા માટે ભગવાન શંકરની પ્રાર્થના સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.

વડોદરાની ધરતીમાંથી ભગવાન શંકરને યાદ કરીને પંચમહાભૂતના તત્વોને અર્પણ કરવામાં આવ્યા હતા અને ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યકરોએ ભગવાનને પ્રસાદ અર્પણ કર્યો હતો અને ભારતના વિજય અને ખેલાડીઓના શાનદાર પ્રદર્શન માટે પ્રાર્થના કરી હતી.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version