- વડાપ્રધાન મોદીએ તમામ મદદની ખાતરી આપી
- મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લોકોને માહિતી આપી.
- લોકોના જાનમાલ અને પશુધનના રક્ષણ માટે માર્ગદર્શન આપ્યું હતું
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી વરસાદ અસરગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવી હતી. અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી હતી.
ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારે વરસાદને પગલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ વિશે વાત કરી. છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં પૂરનો ભય છે. નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની સૌથી વધુ અસર થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. પીએમ મોદીએ ફોન કરીને રાજ્યમાં ભારે વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. પીએમ મોદીએ આશ્વાસન આપ્યું છે કે ભારે વરસાદની સ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર એનડીઆરએફ સહિત તમામ જરૂરી સહાય પૂરી પાડશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને રાહત અને બચાવ કામગીરીની વિસ્તૃત વિગતો મેળવી હતી. તેમણે નાગરિકોના જીવન અને પશુધનની સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને સહાય પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી.
#GujaratFloods #PMModi #ChiefMinisterBhupendraPatel #DisasterRelief #HeavyRain #FloodRelief #EmergencyResponse #GovernmentAssistance #NDRF #StateAssistance #RescueOperations #Weatherforecast #Gujarati #Gujarati જાહેર સલામતી #GovernmentResponse #RainCrisis #FloodSafety
The post PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને પૂર પ્રભાવિત વિસ્તારની માહિતી મેળવી appeared first on Revoi.in.