નસવાડીમાં તલાટી અને ટીડીઓ આમને-સામને: તલાટી પ્રમુખની બદલીનો વિવાદ, લાંચ લેવાના આક્ષેપથી રાજકારણ ગરમાયું | છોટા ઉદેપુર ટ્રાન્સફર મામલે નસવાડી તલાટી વિરુદ્ધ ટીડીઓ ભ્રષ્ટાચારના આક્ષેપો

નસવાડી તલાટી Vs TDO: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તલાટી મંડળના પ્રમુખની બદલી થતાં જ વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ બદલીના આદેશ બાદ તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી (TDO) સામસામે આવી ગયા છે. તલાટીએ ટીડીઓ પર ભ્રષ્ટાચાર અને ટકાવારી માંગવાના ગંભીર આક્ષેપો કર્યા છે જ્યારે સામી બાજુના ટીડીઓએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી તલાટીની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.

તલાટીનો આરોપ: “એક જ ઓર્ડરથી બદલાઈ ગયા ટકા નહીં ચૂકવતા”

કેવડી ગ્રામ પંચાયતના તલાટી કોમના મંત્રી અને તલાટી મંડળના પ્રમુખ નિશિત પંચાલે ટીડીઓ પર સીધો પ્રહાર કરતા જણાવ્યું છે કે, નસવાડી ટીડીઓ દરેક ગ્રાન્ટ અને કામની ટકાવારી માંગે છે. “જ્યારે પણ તલાટીઓની મીટિંગ હોય છે, ત્યારે TDO એક પછી એક તલાટીઓને ચેમ્બરમાં બોલાવે છે અને કમિશનની માંગણી કરે છે,” તેમણે આક્ષેપ કર્યો હતો.

નિશિત પંચાલે વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં સ્વચ્છતાની ગ્રાન્ટ આવતી હોવા છતાં ટીડીઓ ટકાવારી લેવાની લાલચ આપીને આ ગ્રાન્ટો ફાળવતા નથી. માત્ર એક જ ઓર્ડર સાથે સ્વિચ કરવા પાછળનું મુખ્ય કારણ આ પૈસા પડાવી લેવાનું છે.

TDOનો વળતો પ્રહારઃ “મુખ્યમંત્રી સુધી ફરિયાદ, આક્ષેપો પાયાવિહોણા”

બીજી તરફ, નસવાડીના તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) એચ.આર. તલાટીએ તેમના પર લાગેલા તમામ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. ટીડીઓના જણાવ્યા મુજબ સંબંધિત તલાટી સામે અગાઉ અનેક ફરિયાદો મળી હતી અને આ ફરિયાદો મુખ્યમંત્રી કક્ષા સુધી પહોંચી હતી.

ટીડીઓએ સ્પષ્ટતા કરી હતી કે, આ બદલી તાલુકા કક્ષાએથી નહીં, પરંતુ જિલ્લા કક્ષાએથી કરવામાં આવી છે. તલાટીની નસવાડી તાલુકામાંથી અન્ય તાલુકામાં બદલી થઈ હોવાથી તેઓ હવે આવા પાયાવિહોણા અને મનઘડત આક્ષેપો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ ચાંગોદરમાં પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા, PSIને બંદોબસ્ત કરવા દોડી, ફરિયાદ ન થવાથી પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં

વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય

એક તરફ તલાટી મંડળના પ્રમુખ દ્વારા ઓન કેમેરા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તો બીજી તરફ વહીવટી વડાએ બદલીના કારણે ઉભો થયેલો આક્રોશ ગણાવ્યો છે. હાલમાં આ મામલે બંને પક્ષોના નિવેદનો સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યા છે. આગામી સમયમાં આ વિવાદ અંગે જિલ્લા વહીવટી તંત્ર કેવું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version