અમદાવાદ, શનિવાર
શહેરા કાલુપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં હવે સ્થાનિક લોકો મેદાનમાં આવવાનો વારો આવ્યો છે. કાલુપુર ધનસુથાર ચોકમાં સ્થાનિક લોકોએ ચાર બંગાળી કારીગરોને પીધેલી હાલતમાં પકડીને પોલીસને હવાલે કર્યા હતા. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ આક્ષેપ કરે છે કે પોલીસની નબળી કામગીરીને કારણે તેઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નાના-મોટા વેપારીઓને પણ અસામાજિક તત્વો દ્વારા સતત હેરાન કરવામાં આવે છે અને તહેવારો અને સિઝનમાં હેરાનગતિ વધી જતી હોય છે. જેના કારણે વેપારીઓ પણ અસલામતી અનુભવે છે.