જર્જરિત પુલનું કામ ચાર મહિનાથી શરૂ થયું નથી
નદીને ડાયવર્ટ કરી શકાય તેમ હોવા છતાં તંત્રએ રસ લીધો ન હતો જેના કારણે વિદ્યાર્થીઓ સહિત અનેક ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે
ટેક્સ્ટ –
વડોદરામાં 23મી જુલાઇના રોજ બનેલા ગંભીરા પુલ અકસ્માત બાદ લખતર-લીંબડી રોડ પર આવેલ તલવાણી ગામ પાસેનો પુલ દસ વર્ષમાં જર્જરિત બની જતાં ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી હતી અને પુલની બંને તરફ બેરીકેટ મુકવામાં આવ્યા હતા.
તાજેતરમાં તલવાણી ગામ પાસે પુલ પર મુકવામાં આવેલ બેરીકેટ (ઉંચાઈ માપક) કોઈ અજાણ્યા વાહનચાલકે તોડી નાખ્યો હતો. ગામના જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ ડમ્પર ચાલક પુલ પર લગાવેલ બેરિકેડ તોડીને ભાગી ગયો હતો. તેઓએ પીડબલ્યુડી વિભાગને ટેલિફોનિક રીતે પણ જાણ કરી હતી પરંતુ ડમ્પર ચાલક સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને અન્ય વાહનોને અકસ્માત સર્જવા બદલ કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ હવે નદીને ડાયવર્ટ કરી શકાશે અને નદીમાં બાંધવામાં આવેલ ડાયવર્ઝન પાઇપો હજુ પણ નદીમાં પડી છે. તો પણ તંત્ર દ્વારા ડાયવર્ઝન કેમ બનાવવામાં આવતું નથી? તેમજ ડાયવર્ઝન બનાવી બસ ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે તેમ છે.