વડોદરાઃ જ્યારે રિફાઈનરીમાં વિસ્ફોટ અને આગ લાગી ત્યારે કેટલાક લોકોએ તેને ભૂકંપ હોવાનું માની લીધું હતું.
કોયલીના અશ્વિન પટેલે જણાવ્યું કે બપોરે હું ઘરે હતો ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ સાંભળ્યો અને ધરતીકંપ આવ્યો હોવાનું માનીને બહાર નીકળી ગયો.
આ વખતે અન્ય લોકો પણ બહાર આવ્યા હતા. ધુમાડાના ગોટેગોટા જોઈને અને ફાયર બ્રિગેડના વાહનોનો ધસારો જોઈને અને સાયરન સાંભળીને ખબર પડી કે રિફાઈનરીમાં આગ લાગી છે.