જેતપુર-રાપર રોડ પર કાર અકસ્માત જેતપુર-રાપર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ગટરમાં ખાબકી હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા 2 મિત્રોના મોત થયા હતા. બંને મૃતકો મોરબીના મહેન્દ્રનગરના રહેવાસી હોવાનું જણાય છે.
જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં પડી જતાં 2 મિત્રોના મોત
મળતી માહિતી મુજબ જેતપુર-રાપર રોડ પર મોરબીના નિલેશ કાનાણી અને ભીખાલાલ દલસાણિયાની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની નીચે ઉતરી ગટરમાં પડી હતી.
આ પણ વાંચો: ખાડો ખોદીને પડો! AMCનું ડમ્પર ખાડામાં ફસાઈ ગયું, રસ્તા પર માત્ર કાદવ જ સંતોષાયો
અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા યુવકને બહાર કાઢી તાત્કાલિક જેતપર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં બંને મિત્રોના મોત થયા હતા. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.