ગુજરાતના દલિતો અને આદિવાસીઓ પર અત્યાચારના કેસો: ગુજરાતમાં સલામતીના ગીતો ગાવામાં આવી રહ્યા છે ત્યારે દલિતો અને આદિવાસીઓ હજુ પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 19 હજારથી વધુ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ સાબિત કરે છે કે રાજ્ય સરકાર દલિતો અને આદિવાસીઓને અધિકારો અને સુરક્ષા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
અમદાવાદ-સુરેન્દ્રનગર, કચ્છમાં દલિતો પર અત્યાચાર વધુ: સજાનો દર માત્ર 1%
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં દલિતો પર અત્યાચારની કુલ 13,629 ઘટનાઓ બની છે. જે દર્શાવે છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 3થી વધુ દલિતો પીડિત થઈ રહ્યા છે. જ્યારે આદિવાસીઓ પર અત્યાચારની કુલ 3,553 ઘટનાઓ નોંધાઈ છે.
આના પરથી એવું પ્રસ્થાપિત થયું છે કે ભાજપ સરકાર દલિતો અને આદિવાસીઓને બંધારણીય અધિકારો અને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. એસસી-એસટી પર અત્યાચારની વધતી જતી ઘટનાઓ રાજ્ય માટે કલંકરૂપ છે જ્યારે આ આંકડા માત્ર નોંધાયેલા ગુનાના છે, જ્યારે ડર અને દબાણના કારણે હજારો કેસ પોલીસ ચોપડે નોંધાતા નથી.
આદિવાસી અત્યાચારના 3,553 કેસની સુનાવણી બાકી છે
ભાજપના શાસનમાં ગુજરાતના આદિવાસી સમાજ પરના અત્યાચારોની સંખ્યા પણ સતત વધી રહી છે. છેલ્લા 5 વર્ષમાં આદિવાસીઓ પર અત્યાચારના કુલ 1590 નવા કેસ નોંધાયા છે, જ્યારે અત્યાચારના કુલ 3,553 કેસ પેન્ડિંગ છે. ટૂંકમાં, દર 48 કલાકે એક આદિવાસી ભાઈ કે બહેન પર અત્યાચાર કે હુમલા થઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે સરકાર ગુનેગારોને સજા આપવામાં સદંતર નિષ્ફળ રહી છે. છેલ્લા 3 વર્ષમાં ST અત્યાચારના કેસોમાં દોષિત ઠેરવવાનો દર 1% કરતા ઓછો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ-વડોદરાની શાળાઓમાં બોમ્બની ધમકી, બાળકોને છોડી મૂક્યા, તંત્ર દોડી આવ્યું
કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ શું કહ્યું?
ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, જૂનાગઢ જિલ્લામાં દલિતો પર અત્યાચારના અનેક કિસ્સા નોંધાયા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અધિકારો માટે 15,000 થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હોવા છતાં ગુજરાતની ‘સંવેદનશીલ’ સરકાર આગળ વધી નથી. વર્ષ 2018 અને 2019માં માત્ર છ જ કાર્યક્રમ યોજાયા હતા અને વર્ષ 2020માં એક પણ કાર્યક્રમ કરવાની તસ્દી લીધી ન હતી. આ ભાજપની દલિત વિરોધી અને આદિવાસી વિરોધી માનસિકતા સ્પષ્ટપણે છતી કરે છે.
