- સોમનાથ દાદાને રૂદ્રાક્ષથી શણગારવામાં આવ્યા હતા.
- પાલખીયાત્રામાં ભાવિકો જોડાયા,
- મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું
વેરાવળ: શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવજીની આરાધના વિશેષ છે. ખાસ કરીને સોમવારે ભક્તો મહાદેવજીના મંદિરે દર્શન માટે ઉમટી પડે છે. આજે શ્રાવણ માસના બીજા સોમવારે બાર જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો.
શ્રાવણ માસના આ બીજા સોમવારે સોમનાથ દાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ટ્રસ્ટ પરિવાર સાથે પાલખી પૂજન કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સવારે તીર્થની પરંપરા મુજબ મંદિર પરિસરમાં પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પ્રતિકૃતિની પરિક્રમા કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. સવારે 4 થી 10 વાગ્યા સુધી 30 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો. ભગવાન શિવની આરાધનાનો મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભાવિકો સોમનાથ મહાદેવની પૂજામાં જોડાયા હતા.
સોમનાથ મંદિર તંત્રના જણાવ્યા મુજબ સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખીયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભાવિકો હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા. આ પાલખીયાત્રામાં જ્યારે શિવજી મુખારવિંદ સાથે પરિસરમાં પરત ફર્યા ત્યારે શિવભક્તોને એવું લાગ્યું કે જાણે મહાદેવ સ્વયં યાત્રાએ નીકળ્યા હોય. આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સવારે 4 કલાકે મંદિર યાત્રિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે કતારમાં જોડાયા હતા. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ દળ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૌને સારા દર્શન થાય તે માટે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આજે બીજા સોમવારે ભગવાનને વિશેષ રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ ધ્વજા પૂજનનો પણ લાભ લીધો હતો.
The post આજે શ્રાવણનો બીજો સોમવાર, સોમનાથમાં દર્શન માટે ભક્તોની ભીડ appeared first on Revoi.in.
