- આ વર્ષે પ્રવાસીઓ માટે ફ્લાવર શોની મુલાકાત મોંઘી પડી શકે છે
- શનિવાર અને રવિવારના ફૂલ શોની ટિકિટ રૂ. 100 રાખવામાં આવી હતી
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું ઉદ્ઘાટન કર્યું. ઉદ્દઘાટન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે, ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 એ મુલાકાતીઓ માટે નાઇટ ફ્લાવર પાર્ક અને પ્રાઇમ ટાઇમ મુલાકાત સહિત વિશેષ સુવિધાઓ તૈયાર કરી છે.
જો કે અમદાવાદમાં દર વર્ષે શિયાળા દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો દૂર-દૂરથી ફ્લાવર શો નિહાળવા આવે છે. આ વર્ષે પણ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાને દર્શાવવામાં આવશે. જો કે, આ વર્ષે ફ્લાવર શોની મુલાકાત પ્રવાસીઓ માટે મોંઘી પડી શકે છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થવા જઈ રહ્યો છે, જેની ટિકિટમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો કર્યો છે.
આ વર્ષે 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્કલ્પચર બનાવવા માટે 7.5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારના 23 ફૂલો જોવા મળ્યા છે. 2025નો આ ફ્લાવર શો 6 ભાગમાં વહેંચાયેલો છે. 2024ની સરખામણીમાં 2025ના ફ્લાવર શોમાં દોઢથી બે ગણો વધુ ખર્ચ થયો છે. અમદાવાદ ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર સુધી 70 રૂપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જ્યારે શનિવાર અને રવિવારે ફ્લાવર શોની ટિકિટ 100 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે સ્પેશિયલ ફ્લાવર શોની મુલાકાત લેવા માંગતા લોકો માટે 500 રૂપિયાનો ચાર્જ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. ખાસ મુલાકાતનો સમય સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 છે.
The post અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો પ્રારંભ appeared first on Revoi.in.