નરોડા હાઇવે પર રાયપુર નજીક દહેગામ
ગાંધીનગર કોર્ટે બે વર્ષ પહેલા બનેલી ઘટનામાં વળતર પેટે 25 હજાર રૂપિયા ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો
ગાંધીનગરઃ ગાંધીનગર નજીક દહેગામ નરોડા હાઇવે પર રાયપુર પાસે ટ્રકે ટક્કર મારતાં મોપેડ સવાર એક મહિલાનું મોત થયું હતું. ગાંધીનગરના સેકન્ડ એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં સરકારી વકીલની દલીલો ધ્યાને લઇ કોર્ટે આરોપી ટ્રક ચાલકને એક વર્ષની કેદની સજા અને રૂ. 25 હજાર વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ 21 ઓક્ટોબર 2023ના રોજ સવારે મહેશકુમાર સુતરિયા તેમની પત્ની ભાવનાબેન અને પુત્ર સાથે સ્કૂટી પર સવાર હતા. જ્યારે તેઓ રાયપુર ગામના પાટીયા પાસે ખારી નદીના પુલ પાસે પહોંચ્યા હતા, ત્યારે ઝડપથી આવી રહેલી આઈસર કારના ચાલકે તેના સ્કૂટરને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભાવનાબેન ઈસરની કારનું ટાયર નીચે આવી જતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ટૂંકી સારવાર બાદ 6 નવેમ્બરે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસે આરોપી ટ્રક ચાલક રણછોડભાઈ ભરવાડ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પીપલિયાની કોર્ટમાં હાથ ધરાયેલા કેસની સુનાવણી સેકન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સી.કે. સરકાર પક્ષે એ.પી.પી. એ.વી.જોષીએ જોરદાર દલીલો કરી હતી અને જણાવ્યું હતું કે, નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકતા રસ્તાઓ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કિસ્સા વધી રહ્યા છે., જે સમાજ માટે ચિંતાનો વિષય છે. આરોપીઓને કડક સજા થાય તો જ આવા ગુનાઓ પર અંકુશ લાવી શકાય. કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાની ધ્યાને લીધી હતી અને નોંધ્યું હતું, પુલ જેવા સાંકડા રસ્તા પર વાહન ચલાવતી વખતે આરોપીએ પૂરતી કાળજી લીધી ન હતી. જેથી આરોપી ટ્રક ચાલકને એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે 25 હજાર રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો હતો.