![]()
ગોધરા મંદિર ચોરી: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં હવે તસ્કરો બેફામ બન્યા છે. સામાન્ય મકાનો અને દુકાનો પછી હવે ભગવાનના મંદિરો પણ સુરક્ષિત નથી. ગોધરાના લેક રોડ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ‘બાવાની માડી’ મંદિર પર ગત રાત્રે તસ્કરોએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
દાનપેટી તોડી રોકડની ચોરી થઈ હતી
મળતી માહિતી મુજબ મોડી રાત્રે તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ મંદિરની દાનપેટીના તાળા તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હતી અને અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયા હતા. ચોરીની આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સવારે ભક્તો અને પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે દાન પેટીઓ તૂટેલી હાલતમાં મળી આવી હતી.
આ પણ વાંચોઃ PTC કોલેજ અમદાવાદના શિક્ષકને વિદ્યાર્થીની છેડતી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા, તપાસ માટે સમિતિની રચના
પુરાવાનો નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ
પકડાઈ જવાના ડરથી બદમાશોએ પુરાવાનો નાશ કરવા મંદિરના સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. જોકે, તસ્કરોની કેટલીક હિલચાલ અને ચોરીની રીતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે પોલીસ તપાસમાં મહત્વની સાબિત થઈ શકે છે. બનાવની જાણ થતા જ ગોધરા શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મંદિર મેનેજમેન્ટની પૂછપરછ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
