cURL Error: 0 મનપાએ સીલ ખોલ્યા પણ હજુ 150 શાળાઓ પાસે બીયુ કે ફાયર એનઓસી નથી - PratapDarpan

મનપાએ સીલ ખોલ્યા પણ હજુ 150 શાળાઓ પાસે બીયુ કે ફાયર એનઓસી નથી

મનપાએ સીલ ખોલ્યા પણ હજુ 150 શાળાઓ પાસે બીયુ કે ફાયર એનઓસી નથી

અપડેટ કરેલ: 15મી જૂન, 2024

મનપાએ સીલ ખોલ્યા પણ હજુ 150 શાળાઓ પાસે BU કે ફાયર NOC 1 નથી - ઈમેજ

– 100 શાળાઓને નોટિસ આપ્યા બાદ વધુ 50 શાળાઓને નોટિસ આપવામાં આવી હતી અને સંચાલકો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો

સુરત

રાજકોટની ઘટના બાદ નગરપાલિકા દ્વારા સીલ કરાયેલી 282 શાળાઓ પૈકી 258 શાળાના સંચાલકોએ બાંહેધરી ફોર્મ લીધા બાદ સીલ ખોલ્યા હતા., પરંતુ ડીઇઓની તપાસમાં અત્યાર સુધીમાં 150 શાળાઓમાં ફાયર અને બીયુસી ન હોવાનું બહાર આવ્યું છે. પ્રથમ 100 બાદ ડીઈઓએ આજે ​​વધુ 50 શાળાઓને નોટિસ ફટકારી છે.

આ ગુરુવારથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણને અસર ન થાય તે માટે શાળાઓને સીલ કરી દેવામાં આવી હતી. જે તે શાળાઓના સંચાલકો પાસેથી બાંયધરી ફોર્મ લઇ શાળાઓના સીલ ખોલી દેતાં 258 શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. છેલ્લા બે દિવસમાં 100 શાળાઓને નોટિસ આપ્યા બાદ આજે વધુ 50 શાળાઓને નોટિસ આપવામાં આવી છે. આમ 150 શાળાઓને સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી કે, વખતોવખત રજૂઆત કરવા છતાં BUC કે ફાયર સેફ્ટી કે આગને લગતી અન્ય સુવિધાઓ મળી નથી. જે ગંભીર બાબત છે. શાળા સુરક્ષા-2016નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જો શાળામાં કોઈ દુર્ઘટના થાય તો બાળકોની સુરક્ષા જાળવવાની જવાબદારી તમારી બને છે. આથી શિક્ષણ નિયમોની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ શાળા સામે નિયમ મુજબ કાર્યવાહી કેમ ન કરવી ? તેનો બે દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. આચાર્ય અને શાળા સંચાલકને આધાર પુરાવા સાથે રૂબરૂ હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ 150થી વધુ શાળાઓ છે. જેમાં BUC કે ફાયર સેફ્ટીનો અભાવ છે.