ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, આ ચાર જિલ્લામાં હવે આઠને બદલે 10 કલાક વીજળી મળશે

ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, આ ચાર જિલ્લામાં હવે આઠને બદલે 10 કલાક વીજળી મળશે

ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, આ ચાર જિલ્લામાં હવે આઠને બદલે 10 કલાક વીજળી મળશે

ગુજરાત સમાચાર ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં આજે મોટો નિર્ણય લીધો છે. સરકારે પાક સિંચાઈ માટે ચાર જિલ્લામાં વધુ બે કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. થોડા દિવસો પહેલા વધુ વીજળીની માંગ ઉઠી હતી. સરકારના આ નિર્ણય બાદ હવે રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે.

માંગ પ્રમાણે વીજળીનો સમય વધશે

રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે જ્યાં પણ વીજળીની માંગ અંગે રજૂઆત થશે ત્યાં અમે વીજળીનો સમય વધારીશું. આમ, ખેડૂતોની રજૂઆત બાદ સરકારે ચાર જિલ્લામાં આઠને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટીમાં ભાવિ ડોકટરો ઉમટ્યા

હાલમાં માત્ર ચાર જિલ્લા માટે જ નિર્ણય લેવામાં આવ્યો છે

જે વિસ્તારોમાં મગફળીનું વાવેતર થયું છે ત્યાં વીજ પુરવઠાનો સમય લંબાવવાની માંગ થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. આ માંગને ધ્યાનમાં રાખીને સરકારે સૌરાષ્ટ્રમાં 10 કલાક વીજળી આપવાનું શરૂ કર્યું છે. હાલમાં આ નિર્ણય રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લા માટે લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં BRTS ડ્રાઈવરે 6 વર્ષના બાળકને માર્યો અકસ્માત, બસ છોડીને ભાગ્યો

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]