અમદાવાદ ગ્રામ્ય ડીઇઓ: અમદાવાદમાં સગીરો દ્વારા વાહન હંકારવા અને અકસ્માત સર્જવાના કિસ્સાઓ વધી ગયા છે. અમદાવાદ ગ્રામ્ય ડીઇઓ એક્શન મોડમાં આવ્યા છે અને સગીરોને શાળાએ વાહનો ન લાવવા માટે પરિપત્ર બહાર પાડ્યો છે. શાળાઓને પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ટ્રાફિક-પોલીસ અને આરટીઓ, ડીઈઓ સાથે સંયુક્ત ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવશે. જારી કરાયેલા પરિપત્ર વિરૂદ્ધ જો કોઇ બાળક વાહન સાથે પકડાશે તો તેના માતા-પિતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ શું કહ્યું?
અમદાવાદ ગ્રામ્ય ડીઇઓ કૃપા ઝાએ જણાવ્યું હતું કે, ‘મોટર વ્હીકલ એક્ટ મુજબ બાળકોને 125 સીસીથી વધુના વાહનો ચલાવવાની મંજૂરી નથી. તેવા સંજોગોમાં બાળકો વાહનો લઈને શાળાએ જતા હોય છે, પોતાને, શાળાને અને વાલીઓને મુશ્કેલીમાં મુકી દે છે. જેમાં વિદ્યાર્થી શાળામાં વાહન લઈને આવે તો આચાર્યએ વાલીઓને જાણ કરવાની રહેશે. બીજા દિવસની ડ્રાઈવમાં જો કોઈ બાળક વાહન લઈને સ્કૂલે જશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.’
આ પણ વાંચો: બીગ બ્રેકિંગ: પેજર પછી, વોકી-ટોકીઝ વિસ્ફોટ હચમચી ગયો, લેબનોનમાં ફરીથી સીરીયલ બ્લાસ્ટ થયો
શાળાએ વાલીઓને જાણ કરવાની રહેશે
શાળાના પાર્કિંગમાં પણ ડીઇઓ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ કરવામાં આવશે અને જો કોઇ વિદ્યાર્થી વાહન ચલાવતો પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરિપત્ર અંગે વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવા શાળાઓને પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે આરટીઓ અને ટ્રાફિક-પોલીસ સાથે ડીઈઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે.