વડોદરાવ્યાજખોરોના ત્રાસથી ડરી ગયેલા રિક્ષા ચાલકે કપાસમાં છંટકાવ કરવાની દવા પીધી હતી. ચાર દિવસની સારવાર બાદ તેનું મોત નીપજતાં આખરે અટલાદરા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.
કલાલી ઘીસકોલી સર્કલ પાસે ગુલાબી લાકડાના મકાનમાં છેલ્લા છ વર્ષથી તેની બીજી પત્ની સાથે રહેતા રાજુભાઈ પ્રભાતભાઈ ઠાકોર (ઉં.વ. 54) રીક્ષા ચલાવે છે. તેની પ્રથમ પત્ની અને પુત્રો અલગ રહે છે.
