![]()
વડોદરા : વડોદરા શહેરના કમાટીબાગ વિસ્તારમાં આવેલા નવનાથ પૈકી કામનાથ મહાદેવ મંદિરમાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે.
સોમવારે સવારે મંદિરના મહારાજ અને ભક્તો મંદિરે આરતી અને દર્શનાર્થે પહોંચ્યા ત્યારે કૂવાના પાઇપો, મંદિરના ઓટલા, મંદિરની લાઇટ વગેરેમાં તોડફોડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મંદિરમાં અગાઉ પણ તોડફોડ કરવામાં આવી હોવાથી રાત્રિના અંધારામાં તોડફોડ થઈ હોવાનું જણાય છે પરંતુ તોડફોડ કોણે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. મંદિરના મહારાજના જણાવ્યા મુજબ કેટલાક દારૂડિયાઓ મંદિરમાં આવીને આવી તોડફોડ કરેલી વસ્તુઓની ચોરી કરીને વેચે છે.

