Surat : મોસમની શરૂઆતમાં જ પહેલી વાર કોઝવે છલકાયો, સપાટી 6.02 મીટર પર પહોંચી..
![Surat](https://pratapdarpan.in/wp-content/uploads/2024/07/image-1-1024x770.png)
આમ તો સામાન્ય રીતે Surat સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી 15 જૂન ની આસપાસ આવી પહોંચે છે પરંતુ આ વખતે ગ્લોબલ વોર્મિંગને કારણે સુરતમાં મોસમની નિયમિત શરૂઆત 28 જૂન પછી શરૂ થઈ છે ત્યારે મોસમની શરૂઆતમાં જ કોઝવે ના દરવાજા પહેલી વાર બંધ કરવામાં આવ્યા છે.
ગત રાત્રે એટલે કે આજે વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં ની જળ સપાટી 6.02 પર પહોંચતા વાહનોની અવરજવર તથા રાહદારીઓ માટે કોઝવે ના બંને તરફના દરવાજાઓ બંધ કરી દેવામાં આવતા હવે કતારગામ ,ડભોલી, સિંગણપુર , હોડી બંગલા થી રાંદેર, અડાજન અને જહાંગીર પરા તરફ તરફ આવતા તે જ પ્રમાણે આ વિસ્તારમાંથી કતારગામ ડભોલી સિંગણપુર વેડ તરફ જતા વાહનચાલકોને ડભોલી બ્રિજ પરથી જવું અને આવવું પડશે. એવું મનપાના ફ્લડ કંટ્રોલરૂમ ના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું હતું.
![Surat](https://pratapdarpan.in/wp-content/uploads/2024/07/image-5-1024x770.png)
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં શિંગણપુર કોઝવે 90 થી વધુ દિવસ પણ વાહનચાલકો તથા રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. નિયમ મુજબ કોઝવે ની સપાટી 6 મીટર ઉપર જાય તો કોઝવે બંધ કરી દેવામાં આવે છે. અને જળ સપાટી 6 મીટર થી નીચે જાય તો કોજવીની સાફ-સફાઈ કરીને રાહદારીઓને વાહન ચાલકો માટે ફરી પાછો ખુલ્લો મુકવામાં આવે છે.