કષ્ટભંજનદેવ મંદિર સલંગપુર: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સલંગપુરધામ ખાતે શનિવારે (18 જાન્યુઆરી) કષ્ટભંજનદેવ હનુમાનજીને હજારીગલ અને સેવંતી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. દાદાની આસપાસ હજારીગલના ફૂલોથી શણગારવામાં આવ્યા હતા જ્યારે સેવંતીનાં લાલ ફૂલોથી શ્રીરામ લખવામાં આવ્યાં હતાં. આ સાથે કશ્યભંજનદેવને સુખડીનો પ્રિય અન્નકૂટ રાખવામાં આવ્યો હતો.

શનિવારે સવારે 5:30 કલાકે મંગળા આરતી હ્રદયપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને સવારે 7:00 કલાકે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીનો શણગાર કરવામાં આવ્યો હતો. આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, ‘કષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી કામવાળા વાઘા અને હજારીગલ ફૂલોનો દિવ્ય શણગાર આપવામાં આવ્યો હતો. આ સિવાય દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ મળ્યો છે.’

આજે મંદિરની યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/18/jamnagar-heritage-2026-03-18-18-06-22.jpg?w=100&resize=100,100&ssl=1)