શ્રાવણ માસમાં સુરત મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ, ઉપવાસ દરમિયાન ફરાળી લોટના સેમ્પલ લેવાયા.

શ્રાવણ માસમાં સુરત મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ, ઉપવાસ દરમિયાન ફરાળી લોટના સેમ્પલ લેવાયા.

શ્રાવણ માસમાં સુરત મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ, ઉપવાસ દરમિયાન ફરાળી લોટના સેમ્પલ લેવાયા.

સુરત ફૂડ ચેકિંગ : શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ શહેરમાં ફરાળી લોટના વેચાણનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ફરાળી લોટમાં ભેળસેળ છે કે કેમ તેની ચકાસણી કરવા આજે સવારથી જ પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી. ફરાળી લોટના વિક્રેતાઓ પાસેથી લોટના નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

શ્રાવણ માસની શરૂઆત થતાં સુરતીઓ વધુ ધાર્મિક બની ગયા છે અને સંખ્યાબંધ લોકો ઉપવાસ કરી રહ્યા છે. આ વ્રત દરમિયાન સુરતીઓ વિવિધ વાનગીઓ ખાય છે. ફરાળીની આ વાનગી માટે શહેરમાં અલગ-અલગ જગ્યાએ ફરાળી લોટનું વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં વેચાતો લોટ શુદ્ધ છે કે ભેળસેળવાળો છે તેની ચકાસણી માટે આજે સવારે પાલિકાના ફૂડ વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં લોટનું વેચાણ કરતા વેપારીઓ પાસે જઈને પાલિકાના સત્તાધીશોએ લોટના સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. આ રખડતા ઢોરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. કોઈપણ સંસ્થામાંથી લીધેલા નમૂનામાં ભેળસેળ હોવાનું જણાશે તો પાલિકા તેની સામે કાર્યવાહી કરશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]