વિયેતનામમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે શનિવારે વિયેતનામના ફૂ ક્વોક ટાપુ નજીક ઘણા ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી, જેના પગલે સ્થાનિક અધિકારીઓ દ્વારા શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એક દુ:ખદ ઘટનામાં, વિયેતનામના ફૂ ક્વોક ટાપુ પાસે કેટલાક ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ થોડા કલાકો પહેલા પલટી ગઈ હતી.”તેમાં ઉમેર્યું હતું કે “સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા શોધ અને બચાવ કામગીરી ચાલુ હોવાથી ઘટનાની ચોક્કસ વિગતો મેળવવામાં આવી રહી છે.”દૂતાવાસે કહ્યું કે તેણે અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા અને ઘટના વિશે માહિતી આપવા માટે હો ચી મિન્હ સિટી અને હનોઈમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે.“પીડિત પરિવારોને માહિતી અને સહાય પૂરી પાડવા માટે, હો ચી મિન્હ સિટીમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા ખાતે કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે,” નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હનોઈમાં અન્ય એક કંટ્રોલ રૂમની પણ સ્થાપના કરવામાં આવી છે.