IAS રણજીત તંવર: 2005 બેચના IAS અધિકારી રણજીત તંવરની પત્નીએ આજે ગાંધીનગરમાં ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં IAS અધિકારીની પત્નીને ગંભીર હાલતમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઝેરી દવાની વધુ અસર થતાં તેને ઈમરજન્સી હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો અને સિવિલના આઈસીયુ વોર્ડમાં ખસેડાયો હતો. હાલ તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.
2023 થી મારી પત્ની મારી સાથે રહેતી નથી
મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ રણજીત તવંરે કહ્યું, ‘2023થી મારી પત્ની મારી સાથે નથી રહેતી. ગુજરાતમાં 8 મહિનાથી વધુ સમયથી હાજર નથી. તેમાં મેં છૂટાછેડા માટે અરજી કરી હતી. આમ અમારા બાળકો હવે મારી સાથે રહે છે.’
ઝેરના કારણે હાલ ICUમાં સારવાર હેઠળ છે
સિનિયર IAS ઓફિસર રણજિત તંવરની પત્ની હાલમાં ઝેર ખાઈને ICUમાં સારવાર હેઠળ છે, ત્યારે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ નિયતિ તાથીએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, ‘હું એટલું જ કહી શકું છું કે દર્દીની હાલત સ્થિર છે.’