વરસાદ વચ્ચે વીજ કરંટના બનાવોમાં વધારો, વધુ બેના મોત

વરસાદ વચ્ચે વીજ કરંટના બનાવોમાં વધારો, વધુ બેના મોત

વરસાદ વચ્ચે વીજ કરંટના બનાવોમાં વધારો, વધુ બેના મોત

પાંડેસરામાં એક યુવક અને ભટારમાં એક વૃધ્ધનું વીજ કરંટથી મોત થયું હતું

સુરતઃ

સુરત શહેરમાં વરસાદને પગલે ભેજવાળા વાતાવરણને કારણે વીજ કરંટના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં પાણીની મોટર બંધ કરતી વખતે એક યુવાનને વીજ કરંટ લાગ્યો હતો અને ભટારમાં લોખંડની એંગલ પર પગ મુકતા એક વૃદ્ધને વીજ કરંટ લાગ્યો હતો.

નવી સિવિલના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા ખાતે સુખીનગરમાં રહેતો 38 વર્ષીય મિથુન ચેન બરીબ શનિવારે સવારે પોતાના ઘરે પાણીની મોટર બંધ કરવા ગયો હતો. ત્યારબાદ તેને વીજ કરંટ લાગતા જ તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે મિથુન મૂળ ઓડિશાના પુરીનો હતો. તેમના સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે લૂમ ફેક્ટરીમાં કામ કરીને પરિવારનું ભરણપોષણ કર્યું. અન્ય એક ઘટનામાં ભટારના રસુલાબાદના આંબેડકરનગરમાં રહેતા 61 વર્ષીય અશોક દયારામ સોનાવન આજે સવારે મજૂરી કામ માટે ઘરેથી નીકળ્યા હતા. તે સમયે તેઓ ભટાર ખાતે સાંઈ ટાયર્સ એન્ડ ગેરેજ નામની દુકાન પાસે કામ માટે રાહ જોઈ રહ્યા હતા. લોખંડની એંગલ સાથે અથડાતા જોરદાર કરંટથી તે અથડાયો હતો. જેથી તે ભાંગી પડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અશોકને બે પુત્ર અને એક પુત્રી છે. તે મજૂર હતો.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]