લિંબાયતમાં ડ્રેનેજના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરે પાણીની લાઇન તોડી નાખી હતી

લિંબાયતમાં ડ્રેનેજના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરે પાણીની લાઇન તોડી નાખી હતી

લિંબાયતમાં ડ્રેનેજના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરે પાણીની લાઇન તોડી નાખી હતી

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ડ્રેનેજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે પાણીની લાઇનમાં ભંગાણ. ડ્રેનેજની કામગીરી દરમિયાન પોકલાન મશીન પાણીની લાઇન પર ઉતરી જતાં લાઇન તૂટી ગઇ હતી અને પાણીના ફુવારા ઉડ્યા હતા જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીની લાઇનમાં ભંગાણના કારણે લીકેજ રીપેર કરવા માટે પાલિકા તંત્ર દોડતું થયું છે.

નગરપાલિકાના લિંબાયત ખાતે મીઠી ખાદી વિસ્તારમાં આઝાદ ચોક પાસે છેલ્લા કેટલાક દિવસોથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ડ્રેનેજના કામ દરમિયાન પોકલેન મશીનથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]