અમદાવાદઃ દહેગામના વાસણાના સોખાથી ગામે વહેતી મેશ્વો નદીમાં 10 જેટલા લોકોએ ચેકડેમમાં ઝંપલાવ્યું હતું અને તે દરમિયાન 8 જેટલા લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શોક વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દહેગામમાં ડૂબવાની ઘટનામાં પીડિતો માટે એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. દરેક મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. X પર પોસ્ટ કરાયેલ વડા પ્રધાન કાર્યાલય અનુસાર, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દહેગામમાં ડૂબવાની ઘટનામાં દરેક મૃતકોના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
વસાના સોરઠી ગામે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. જેથી ગામમાં ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનોને મેશ્વા નદીમાં જવું પડ્યું હતું. આ દરમિયાન ગામના કેટલાક યુવકો નદી પર પહોંચી ગયા હતા અને ન્હાવા માટે કૂદી પડ્યા હતા. ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવતા ગ્રામજનોએ આ યુવકોને ડૂબતા જોઈને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ 8 લોકો ડૂબી ગયા હતા અને તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. 2 લોકો હજુ પણ ગુમ હોવાથી શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ યુવકો વાસણા-સોગઠી ગામના મોટાવાસના રહેવાસી છે. જેમાંથી 4-5 યુવકો કાકા-બાપના દીકરા છે જ્યારે અન્ય યુવકો મિત્ર છે. આ વિચિત્ર ઘટનાને પગલે ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ ગામના સ્થાનિકોને થતાં ગામના લોકો ઉશ્કેરાયા હતા અને મોટાભાગના લોકો દોડી આવ્યા હતા અને ડૂબતા યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન નદીમાં ગણેશ વિસર્જન કરી રહેલા લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળી આવ્યા છે અને સ્થિતિ ગંભીર બની ગઈ છે.
The post મેશ્વો નદીમાં ડૂબી જવાથી 8ના મોત, PM મોદીએ કરી આર્થિક મદદની જાહેરાત appeared first on Revoi.in.