‘જો કલમ 370 નાબૂદ થાય છે, તો ગીરમાંથી ઇકો ઝોન કેમ નહીં…’, વિરોધીઓએ સરકારને ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપી


ગુજરાત તાલાલા વિરોધ | તાલાલાના મોરૂકા ગામે ઈકો ઝોન સામેની વિશાળ રેલીમાં સ્થાનિકોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો અને સવાલો ઉઠાવ્યા હતા કે કાશ્મીરમાં વર્ષોથી ચાલી રહેલી કલમ 370 હટાવી દેવામાં આવે છે તો ગીરમાંથી ઈકો ઝોન કેમ નાબૂદ કરવામાં ન આવે? જરૂર પડશે તો નજીકના ભવિષ્યમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવશે.

દિવસેને દિવસે ઇકો ઝોનનો રોષ વધી રહ્યો છે. સરકાર ઇકો ઝોન અંગે યોગ્ય નિર્ણય લે તેવી સ્થાનિકોની માંગ છે. ગામડાના ખેડૂતો અને સ્થાનિક લોકો ઈકો ઝોનમાંથી વન વિભાગના ગુલામ બની જવાની ભીતિ સેવી રહ્યા છે. છેલ્લા દોઢ માસથી સમગ્ર ગીર પંથકમાં ઈકો ઝોન સામે રોજેરોજ વિરોધ થઈ રહ્યો છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version