છબી: ફ્રીપિક
જામનગર સમાચાર: જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ-3માં ગઈકાલે બપોરે પિત્તળના કારખાનાની ભઠ્ઠીમાં પીગળેલા પિત્તળમાં આગ ભભૂકી ઉઠતા 3 પરપ્રાંતિય કામદારોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓ સુધારા પર છે.
બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક દરેડ જીઆઈડીસી ફેસ-3માં આવેલા કનસુમરા પાટિયા પાસે આવેલી શ્રી ભવાની એક્સ્ટ્રુઝન બ્રાસ ફેક્ટરીની ભઠ્ઠીમાં ગઈકાલે બપોરે મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારબાદ, પીગળેલા પિત્તળના રસને ભઠ્ઠીમાં પાઈપ કરવામાં આવતાં, તેમાંથી ઝળહળતો પિત્તળનો રસ છલકાયો, અને નીલેશ યાદવ, વિકાસ યાદવ, માનસિંહ યાદવ નામના ત્રણ કામદારો દાઝી ગયા, અને અન્ય કામદારો પણ ભઠ્ઠીમાંથી બહાર દોડી ગયા.
જે બાદ ત્રણેય દાઝી ગયેલા કામદારોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ નંબર 108માં લઈ જવાયા હતા. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તરત જ અન્ય કામદારો પણ હોસ્પિટલ પહોંચ્યા, હવે ત્રણેય કામદારોની હાલત સુધારા પર છે.
આ બનાવની જાણ થતા પંચકોશી બી. એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/14/bhupendra-patel-uttarayan-2026-01-14-13-24-24.jpg?w=100&fit=100,100&ssl=1)