![]()
દ્વારકા જિલ્લા પંચાયતના મહિલા ઉમેદવાર અને કેશોદ ગામના સરપંચના સસરાનું મતદાન દરમિયાન હાર્ટ એટેકથી અવસાન
જામનગર, ખંભાળિયા,ઃ જામનગર મહાનગરપાલિકાની ચાલી રહેલી ચૂંટણી દરમિયાન એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં વોર્ડ નં-3 ના આમ આદમી પાર્ટીના ઉમેદવારનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ આજે મતદાન પ્રક્રિયા દરમિયાન સાંજે 4:00 વાગ્યાની આસપાસ ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા તેમના ઘરે હાજર હતા ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારજનો તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઇ છે. આ સંદર્ભે જામનગર જિલ્લા કલેકટરે રાજ્ય ચૂંટણી પંચનો પણ સંપર્ક સાધ્યો હતો અને જણાવ્યું હતું કે, સાંજે 6:00 વાગ્યા પછી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી પ્રક્રિયા પણ ચાલુ રહેશે. ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના અગ્રણી આહીર લખમણભાઈ કલાઈ ડેર (ઉંમર 84 વર્ષ), ગ્રામ પંચાયતના સરપંચના પિતા અને વડત્રા જીલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી.