આ યોજના આ વર્ષના બિલ પર લાગુ નહીં થાય, પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના આજથી 31 માર્ચ સુધી લાગુ. આ વર્ષના બિલ પર આ યોજના લાગુ નહીં પડે

આ યોજના આ વર્ષના બિલ પર લાગુ નહીં થાય, પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના આજથી 31 માર્ચ સુધી લાગુ. આ વર્ષના બિલ પર આ યોજના લાગુ નહીં પડે

આ યોજના આ વર્ષના બિલ પર લાગુ નહીં થાય, પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના આજથી 31 માર્ચ સુધી લાગુ. આ વર્ષના બિલ પર આ યોજના લાગુ નહીં પડે

અમદાવાદ, બુધવાર, ડિસેમ્બર 31, 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના લાગુ કરશે. આ યોજના આ વર્ષના બિલ પર લાગુ થશે નહીં. જાન્યુઆરી મહિનામાં કરદાતાને રહેણાંક મિલકતો માટે 85 ટકા અને કોમર્શિયલ મિલકતો માટે 65 ટકા વ્યાજ મુક્તિ આપવામાં આવશે. આ યોજનાથી કોર્પોરેશનને રૂ. 500 કરોડથી વધુની આવક થવાની ધારણા છે.

અમદાવાદમાં 15 લાખથી વધુ રહેણાંક અને 7 લાખથી વધુ કોમર્શિયલ મિલકતો છે. કુલ મળીને જુની અને નવી ફોર્મ્યુલા મુજબ 22 લાખથી વધુ મિલકત ધરાવતા મિલકતધારકોને અલગ-અલગ સ્લેબમાં પ્રોપર્ટી ટેક્સનું વ્યાજ માફ કરવાનો નિર્ણય લેવાયો છે. વ્યાજ માફી યોજના હેઠળ ચાલી અને કુટીરવાળી મિલકતો માટે 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. જૂના ફોર્મ્યુલા હેઠળ, 1 જાન્યુઆરીથી 31-26 માર્ચ સુધી રહેણાંક અને કોમર્શિયલ બંને મિલકતો માટે 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. આ વ્યાજ માફી યોજના વર્ષ-2025-26 માટે બાકી મિલકત વેરા માટે લાગુ થશે નહીં.

કયા મહિનામાં કેટલું વ્યાજ માફ કર્યું?

મહિનો રહેણાંક (ટકા) વાણિજ્યિક (ટકા)

જાન્યુઆરી 85 65

ફેબ્રુઆરી 80 60

માર્ચ 75 50

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]