અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા કચ્છ યુનિવર્સિટીની કન્યા છાત્રાલયમાં જીવદયા જતનનું કાર્ય

ભુજ, 9 એપ્રિલ, 2026 – રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા ભુજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની કન્યા છાત્રાલયમાં ચકલી દિવસ નિમિત્તે 10 પાણીના કુંડા, 20 ચકલી ગૃહો અને 10 ફૂડ ફીડર લગાવવામાં આવ્યા હતા.

અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા કચ્છ યુનિવર્સિટીની કન્યા છાત્રાલયમાં જીવદયા જતનનું કાર્ય
અર્હમ યુવા સેવા ગ્રુપ કચ્છ યુનિવર્સિટીની કન્યા છાત્રાલયમાં જીવન રક્ષક કાર્ય કરે છે

આ કાર્યક્રમમાં હોસ્ટેલના રેક્ટર શ્રી વિમલાબેન મહેશ્વરી અને પૃથ્વી અને પર્યાવરણ ભૂસ્તર વિભાગના લેબોરેટરી ટેકનિશિયને વિદ્યાર્થીઓને પક્ષીઓના સંરક્ષણ વિશે માહિતી આપી હતી. આ સેવા કાર્યમાં 50 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યારે અર્હમ યુવા સેવા ગ્રુપના ડો. હર્ષદ નિર્મળ યુનિવર્સિટીના ગ્રંથપાલ, હિરેનભાઈ અને ઓજસભાઈએ સેવા આપી હતી.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version