અમરેલી સમાચાર: અમરેલીના લાઠી તાલુકાના હરસુરપુર દેવલિયા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક લઇને પસાર થઇ રહેલ એક આધેડ અચાનક નીચે પટકાયો હતો. આ ઘટનામાં એક આધેડનું ગંભીર ઈજાને કારણે કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સ્થાનિક પંથક અને તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
લાઠી-હરસુરપુર દેવલિયા રોડ પર બાઇક ચાલકને અકસ્માત નડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર ખાખરીયા ગામના વતની અને હાલ લાઠીના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ બટુકભાઈ ગાભવા (ઉંમર 55) પોતાની મોટર સાયકલ લઈને હરસુરપુર દેવળીયા ગામથી લાઠી તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક રોડ આડો પડી ગયો હતો. ભરતભાઈ બાઇક સાથે અથડાતા રોડ પર ભયાનક રીતે ફંગોળાયા હતા. જેમાં તેને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આડાઅવળા પડી જતા આધેડનું મોત
સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે લાઠી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચોઃ આણંદઃ વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ મહિસાગર નદીમાં ન્હાવા પડતા ડૂબી ગયા, 2ના કરૂણ મોત
આ દુ:ખદ ઘટનાની જાણ થતા મૃતકના પરિજનો લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સ્વજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા લાઠી પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહની નોંધ કરી પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.