cURL Error: 0 Uttarakhand માં 23 મુસાફરો સાથેનું વાહન ખીણમાં પડતાં 8ના મોતની આશંકા !
8.5 C
Munich
Monday, February 23, 2026

Uttarakhand માં 23 મુસાફરો સાથેનું વાહન ખીણમાં પડતાં 8ના મોતની આશંકા !

Must read

Uttarakhand ના રૂદ્રપ્રયાગ જિલ્લામાં 23 મુસાફરોને લઈ જતું એક વાહન ખીણમાં પડ્યું. આ ઘટના ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર અલકનંદા નદી પાસે બની હતી.

Uttarakhand

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, Uttarakhand ના રુદ્રપ્રયાગ જિલ્લામાં શનિવારે એક ટેમ્પો ટ્રાવેલર, જેમાં 23 મુસાફરો સવાર હતા, ઊંડી ખીણમાં પડી જતાં આઠ લોકોના મોતની આશંકા છે. સાત જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ALSO READ : શિક્ષણ મંત્રીએ કહ્યું NEET રિટેસ્ટ નહીં; IIT ખડગપુરના વિદ્યાર્થીના મોતમાં નવો વળાંક

ઘાયલોને નજીકના મેડિકલ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર અલકનંદા નદી પાસે બની હતી.

દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

“હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોની આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અપાર દર્દ સહન કરવાની શક્તિ આપે. હું બાબા કેદારને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું,” તેમણે તેમના સત્તાવાર હેન્ડલ પર લખ્યું.

સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. મુસાફરો દિલ્હી/ગાઝિયાબાદથી ચોપટા તુંગનાટ જઈ રહ્યા હતા.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article