Surat મહાનગરપાલિકાના રાંદેર ઝોનના અડાજણ એલ.પી.સવાણીથી પાલનપોર જકાતનાકા તરફ જતા રોડ પર મેટ્રોની કામગીરી આ વિસ્તારમાં રહેતા લોકો અને દુકાનદારો માટે આફતરૂપ બની રહી છે.
Surat આ વિસ્તારમાં મેટ્રોના બેરીકેટ્સ હટાવી દેવામાં આવ્યા છે પરંતુ મેટ્રોએ મોટા ખાડાઓ પુરવાની તસ્દી લીધી નથી. જેના કારણે આ રોડ પર ચાલકો માટે જોખમ ઉભું થયું છે. મેટ્રો રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે આજુબાજુની સોસાયટી અને દુકાનદારોને મુશ્કેલી પડી રહી છે, પરંતુ રાજકારણીઓને લોકોની આ પીડા દેખાતી નથી. તો મેટ્રોના કારણે લોકોની હાલત કફોડી બની રહી છે.
સુરતીઓ માટે સુરતી મેટ્રોનું મોટું સ્વપ્ન આફત બની રહ્યું છે. મેટ્રોની કામગીરીને લઈને લોકોની હેરાનગતિ વધી રહી છે. પરંતુ સુરતના વહીવટી તંત્ર અને રાજકારણીઓને પ્રજાની દરકાર ન હોવાથી મેટ્રોને કારણે સર્જાતી સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર પ્રયાસ કરવામાં આવતો નથી.
Surat ના નાના વરાછા ખાતે મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન અકસ્માતને કારણે અન્ય સ્થળોએ પણ મેટ્રોની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. પરંતુ તેની સાથે લોકોની સમસ્યા બમણી થઈ રહી છે.
Surat મહાનગરપાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ એલ.પી.સવાણીથી પાલનપોર જકાતનાકા વિસ્તાર સુધી મેટ્રોના એલિવેટેડ રૂટનું કામ ચાલી રહ્યું છે. પરંતુ લોકોનો આક્ષેપ છે કે મેટ્રો મનસ્વી રીતે કરી રહી છે કારણ કે આ વિસ્તારમાં લોકો રહેતા નથી.
આ વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેરિકેડીંગ હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ મેટ્રો કે નગરપાલિકાએ રોડ રીપેર કરવાની તસ્દી લીધી નથી, જેનો ભોગ સુરતીઓ બની રહ્યા છે.
આ વિસ્તારમાં મેટ્રો બેરીકેટ્સ હટાવ્યા બાદ પણ રસ્તા પર મોટા ખાડાઓ છે. આ રોડ ચાંદ પર મોટા ખાડા જેવો બની ગયો છે અને જ્યારે પાણી પણ ભરાઈ જાય છે ત્યારે આ રસ્તો વાહનચાલકો માટે જીવલેણ બની જાય છે.
મોટા ખાડાઓ છે અને બીજી તરફ મોટા મેટ્રો વાહનો પણ દોડી રહ્યા છે. જો કે, મોટા ખાડાઓ પુરવા કે તૂટેલા રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી હજુ થઈ નથી. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ કામ મેટ્રોએ કરવાનું છે તેમ કહી મ્યુનિસિપલ તંત્ર હાથ ઉંચા કરી રહ્યું છે તો બીજી તરફ મેટ્રો કામ કરતી નથી તેથી લોકોની મુશ્કેલી વધી રહી છે અને રાજકારણીઓ માત્ર દર્શક બનીને જોઈ રહ્યા છે.