સાપુતારા પાસે 65 મુસાફરોને લઈ જતી લક્ઝરી બસ ખીણમાં ખાબકી, બેનાં મોત
અપડેટ કરેલ: 7મી જુલાઈ, 2024
સાપુતારા બસ અકસ્માત: હાલમાં, રાજ્યમાં ચોમાસું પૂરજોશમાં શરૂ થતાં, પ્રવાસીઓ હરિયાળી અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા સાપુતારા સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોએ ઉમટી પડે છે. ત્યારે તાજેતરમાં મળેલા સમાચાર મુજબ સાપુતારા પાસે અકસ્માત સર્જાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાપુતારાથી શામગહાનને જોડતા નેશનલ હાઈવે પર સાંકડા રોડ પર લકઝરી બસનો અકસ્માત સર્જાયો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, આ બસમાં લગભગ 65 મુસાફરો હતા. બસ ખીણમાં ખાબકતાં બે લોકોના મોત થયા હોવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત દરમિયાન કેટલાક લોકો લક્ઝરી નીચે ફસાયા હતા.
આ ઘટના બાદ તરત જ બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું. કેટલાય ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ લકઝરી બસને પણ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે.