નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે રવિવારે UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી અને વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાના પગલાં અંગે ચર્ચા કરી. ચર્ચામાં પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા ચિંતાઓ તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને સ્થિરતા પર તેમની અસર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.યુએઈના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન ડોભાલે પીએમ નરેન્દ્ર મોદી વતી શુભકામનાઓ પણ પાઠવી હતી અને દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સુપ્રીમ કાઉન્સિલના સેક્રેટરી જનરલ અલી બિન હમ્મદ અલ શમ્સી પણ હાજર હતા.ટ્વિટર પરની એક પોસ્ટમાં, UAE માં ભારતીય દૂતાવાલે જણાવ્યું હતું કે, “NSA અજીત ડોભાલે UAEની સત્તાવાર મુલાકાત લીધી હતી. તેમણે રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી… વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાના પગલાં, પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.”UAE ની સરકારી સમાચાર એજન્સી WAM અનુસાર. ડોભાલે પીએમ મોદીનું અભિવાદન કર્યું અને યુએઈના રાષ્ટ્રપતિએ ભારતીય નેતૃત્વને અભિનંદન આપ્યા અને ભારત અને તેના લોકો માટે વધુ વિકાસ અને સમૃદ્ધિની કામના કરી.ભારત તરફથી UAEની આ બીજી ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. આ મહિનાની શરૂઆતમાં, જયશંકરે અબુધાબીમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા અને PM મોદી વતી શુભેચ્છાઓ પાઠવી હતી.ભારત-UAE વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈ તરફ ઈશારો કરતા જયશંકરે કહ્યું કે જટિલ પ્રાદેશિક વાતાવરણ હોવા છતાં બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીત મજબૂત અને પારદર્શક રહે છે.