અમદાવાદ, સોમવાર
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહત સ્વામીની પ્રેરણાથી સ્વામિનારાયણ સંપ્રદાયનું શાસ્ત્રીય તત્વજ્ઞાન રજૂ કરવામાં આવ્યું હતું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણનું વૈદિક દર્શન અક્ષર પુરુષોત્તમ દર્શન તરીકે ઓળખાય છે. વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક રોમની સેપિએન્ઝા યુનિવર્સિટી ખાતે 1 થી 8 ઓગસ્ટ દરમિયાન આઠ દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 120 દેશોમાંથી પાંચ હજારથી વધુ વિદ્વાનો કે જેઓ વિવિધ વિદ્યાશાખાના નિષ્ણાત છે. મહામહોપાધ્યાય ભદ્રેશ સ્વામીની અધ્યક્ષતામાં આ પરિષદમાં અક્ષર પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક પર્યાવરણીય વિઝન પર સત્ર યોજાયું હતું. આ સત્રમાં અક્ષર પુરુષોત્તમ દર્શન કેવી રીતે માનવ સેવા અને પર્યાવરણ સાથે સુમેળ કરે છે? તેના વિશે સંશોધનો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિલ્હી યુનિવર્સિટીના ફિલોસોફીના પ્રોફેસર બાલગણપતિ દેવરકોંડાએ જણાવ્યું હતું કે અક્ષર પુરુષોત્તમ વેદાંત દર્શનના મૂળ પ્રાચીન હિંદુ શાસ્ત્રોમાં છે. આ આનંદની વાત છે કે પશ્ચિમી ફિલસૂફીના વિદ્વાનોને આ ફિલસૂફીમાં વિશેષ રસ છે. ખાસ કરીને 2028માં જાપાનના ટોકિયો ખાતે યોજાનારી 26મી વર્લ્ડ કોંગ્રેસ ફિલોસોફી કોન્ફરન્સમાં અક્ષર પુરૂષોત્તમ દર્શન રજૂ કરવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.